ગાંધીનગર,તા.26 : ગાંધીનગરના ગૃહ વિભાગમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા 35 વર્ષના વ્યક્તિનું ગોળીબાર કરી હત્યા કરવામાં આવી છે. જોકે આ ઘટના કયા કારણોસર થઈ તે અંગેની તપાસ તે જ બની છે ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ પાસે રાજ્ય સરકાર હસ્તકના વિવિધ બોર્ડ નિગમની કચેરીઓ આવેલી છે
તેવા હાર્દ સમાં વિસ્તારમાં અંદાજિત કે સવારે 10:00 કલાક ઓફિસ ટાઈમે બનેલી આ ઘટના ગાંધીનગરમાં ચર્ચાસ્પદ રહી છે.ગાંધીનગર બિરસા મુંડા ભવન પાસે આવેલી જમીન વિકાસ નિગમની કચેરી સામે ગાંધીનગરની અડીને આવેલા ઇન્દ્રોડા ગામના મકવાણા કિરણજી વિરાજી ઠાકોર સચિવાલય તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ કિરણજી ઉપર ફાયરિંગ કરી તેમની હત્યા કરી હતી ઉલ્લેખનીય છે કે 35 વર્ષના કિરણજી ઠાકોર ને પત્ની તેમજ બે બાળકો પણ છે ત્યારે ઇન્દ્રોડા ગામના સાવ સામાન્ય પરિવારના યુવકની આ હત્યાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે